શાળાનોઇતિહાસ

શાળાનોઇતિહાસ

                       જશપુરીયા  શાળાનો  ઇતિહાસ
                  ગુજરાત રાજ્યની અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામા નદીસરા તરીકે ઓળખાતા વિસ્તારમા સરસ્વતી નદીના કાંઠે આવેલ જશપુરીયા ગામ . સરકારશ્રીના હુકમ મુજબ સરસ્વતી નદી  પર મુકતેશ્વર બંધ યોજના બનવાથી સદર ગામ અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર થતાં  સદર ગામનું સ્થળાંતર થતાં  સદર ગામની શાળાનું પણ  સ્થાળાંતર કરી નદીકાંઠાના ઉપરના વિસ્તારમાં પુન : વસવાટ વિભાગ દ્રારા નવીન શાળાનું  બાંધકામ કરવામાં આવ્યું.  જુના ગામમાં પહેલા ગામઠી શાળાની સ્થાપના  થયેલ . ગામલોકોએ ફકત  બાળકોને વાંચતાં , લખતાં અને ગણતાં આવડે  એ હેતુથી શાળા  ગામલોકોના ખર્ચે  શરુ કરી હતી.
                   ત્યારબાદ  તા. ૧૪/૧૦/૧૯૬૯ ના રોજ જશપુરીયા  પ્રા. શાળા , તા. સતલાસણા , જિ . મહેસાણાની જિલ્લા પંચાયત હસ્તકની  શાળા શરુ કરવામાં આવી. પ્રથમ શરુઆતમાં  ધોરણ – ૧ થી ૪ ની શરુઆત થઇ. ત્યારબાદ સરકારશ્રીના આદેશ મુજબ  ઇ.સ. ૧૯૯૯ માં  ધોરણ – ૫  નવીન  વર્ગ દાખલ કરવામાં આવ્યો.  જેમ જેમ શાળાની ઉતરોત્તર  પ્રગતિ થવાથી  ધોરણ – ૬ થી ૭ શરુ કરવામાં આવ્યું.  ઇ.સ. ૨૦૧૦ માં સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ – ૮ નો નવીન વર્ગ શરુ કરવામાં આવ્યો.
                      હાલ શાળામાં ૫ શિક્ષકો કામ કરે છે. ૬ વર્ગખંડ , પીવાના પાણીની વ્યવસ્થા , છોકરા- છોકરીઓ માટે અલગ – અલગ મુતરડી અને  સંડાસની વ્યવસ્થા , કોમ્પ્યુટર લેબ , લાયબ્રેરી અને  રમત માટેનું  નાનું  મેદાનની સુવિધા પણ છે. અમારી શાળાનો એક વિધ્યાર્થી ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ  લાંબીકુદમાં ત્રીજો આવેલ છે. હાલ એ બાળક સ્પોર્ટ શાળામાં અભ્યાસ કરે છે. શાળાના બાળકો  શિષ્યવૃતી પરીક્ષા,NMMS  પરીક્ષા પણ પાસ કરેલ છે. શાળામાં દરેક શિક્ષકમિત્રો ગમ્મત સાથે  જ્ઞાન આપે છે. ગુણોત્સવમાં સતત ૩ વર્ષથી શાળા A  ગ્રેડમાં  આવે છે. શાળામાં ધોરણ ૧ થી ૪  પ્રજ્ઞા અભિગમ થી શિખવવામાં આવે છે. શાળાના વિકાસમાં સૌથી વધુ ફાળો  શાળાના મુ.શિ.શ્રી.પ્રવીણભાઇ સાહેબ કે જેઓ છેલ્લા ૩૦ વર્ષથી આ શાળા તથા ગામના એક મહત્વપુર્ણ ભાગ બનીને શાળાનો વિકાસ કર્યો છે.
              જય હિન્દ ,  જય ભારત 

No comments:

Post a Comment

MATDAR JAGRUTI ABHIYAN 2017 ANTRAGAT